Posts

Showing posts from May, 2020

ભાગ 2 - દુઃખનું કારણ - બીજા પાસે થી અપેક્ષા।

ભાગ 2- બીજા પાસે થી અપેક્ષા। કોઈએ મને પૂછ્યું કોણ દુઃખ આપે છે તને કે જોઈએ ,  અને મેં કીધું કે મારી પોતાની જ "Expectations" ભાગ 1 માં ઈર્ષા અને ખાલીખોટી બિનજરૂરી મહત્વકાંશા કેમ દુઃખ નું કારણ બને છે એ જોયું . આજ ના ભાગ માં બીજા પાસે થી રાખેલ અપેક્ષા કેમ આપણ ને દુઃખી કરે છે અને એનાથી કેમ દૂર રહી શકાય અને એવી તે કઈ ટેવો આપડે કેળવવી કે જે આપણ ને ગમે તેવા સંજોગો માં પણ ખુશ રાખે. કોઈ પણ વસ્તુ કે નવા નિયમો અપનાવવા એ ઘણા મુશ્કેલ છે. જીવન માં કઈ બદલાવ લાવવો એ એટલો સહેલો હોત તો ચિંતા જ ક્યાં હતી. જો સેહલું હોત તો તો આપડે ગમે ત્યાં એડજેસ્ટ ના થઇ જાત. એવું જ કાંઈક આ અપેક્ષા નું છે, બીજા પાસે રાખેલી આશાઓ નું છે. માનવ સ્વભાવ જ એવો છે કે આપડે બીજા માટે કંઈક કરીયે તો આપણ ને તરતજ એના પ્રત્યે આશા બંધાઈ જાય છે કે આપડે આના માટે આ કર્યું તો એ આપડા માટે આ કરશે, અને આપણું ધાર્યું જો ના થાય તો તરત જ સામે વાલી વ્યક્તિ માટે નકારાત્મક વિચારો આવવા માંડશે અને મનમાં ને મનમાં ગુસ્સો ભરાશે. માં બાપ હશે તો એમને એમના બાળકો પાસે આશા તો જરૂર જ હશે કે અમે અમ...

ભાગ 1 - દુઃખનું કારણ -- અસંતોષ અને ઈર્ષા

ભાગ 1 - દુઃખનું કારણ -- અસંતોષ અને વધુ પડતી મહત્વાકાંક્ષા                         દુઃખના તે કારણ શોધવાના હોઈ ? એના તો ગણ્યાખુટે નય એટલા કારણો છે પણ એનો સામનો કઈ રીતે કરવો આપડે, એવી તો કઈ ટેવ પાડી શકીયે જે આપણ ને મનોબળ પૂરું પડે અને ગમે તેવા સંજોગો માં આપણને ઉત્સાહિત રાખે?       લોકો દુઃખી શામાટે છે? બધું હોવા છતાંય મન શાંત કેમ નથી? અને નવું નવું નકામું જે જરૂરી નથી એના પાછળ પણ મન કેમ દોડ્યા કરે છે? સંતોષ કેમ નથી? આવાતો અનેક સવાલો છે જેના જવાબ આપડે પોતે જ શોધવાના છે. હા માર્ગદર્શન માટે બીજા ની મદદ જરૂર લઇ શકાય. પણ સૌથી મહત્વું નું છે કે તમે ખુદ તમારા વિચારો પર નિયંત્રણ મેળવો અને ખુદ આશાવાદી બની ને ખુશનુમા જીવન જીવો. જેટલી વહેલી તકે તમે સમજી જશો એટલું વધુ આનંદ થી જીવન જીવી શકશો. વાતો હંમેશા એક બીજા ને કેતી રેહવી, વાતો કરવાથી કોઈ પણ સમસ્યા ના નિરાકરણ સુધી જલ્દી પોહચી શકાય છે  બાકી તમને સમસ્યા ના હલ તરફ નો રસ્તો તો જરૂર મળી રહેશે, દુનિયા માં આપડા કરવા વધુ અ...